×
લોક સરકાર
લૉગિન
લોક સરકાર

લોક સરકાર માં આપનું સ્વાગત છે

ગુજરાતમાં ભાજપના ૨૩ વર્ષના શાસનમાં પ્રજા આજે ત્રસ્ત થઈ ચુકી છે. જેમાં પણ સરકારના અલગ અલગ વિભાગો હોવા છતાં આજે લોકોને પોતાની ફરિયાદ ક્યાં કરવી તેની કોઈ જાણકારી નથી. તેમજ રાજ્યની આ અસંવેદનશીલ સરકાર માટે લોકપ્રશ્નો ગૌણ બન્યા છે. તેમજ લોકોની સમસ્યાની ગુંજ પણ તેના બહેરા કાને અથડાતી નથી. આ સરકારના શાસનમાં પ્રજાનો અવાજ બુલંદ થવાને બદલે દબાયો છે. તેમજ જો લોકો જેમ તેમ કરીને ફરિયાદ કરી પણ લે તો તેનું શું થયું અને ફરિયાદનો નિકાલ ક્યારે થશે તેની કોઈ જ જાણકારી નથી.
આ ઉપરાંત સરકારે અમલમાં મુકેલો નાગરિક અધિકારપત્ર પણ માત્ર શોભાના ગાંઠીયા સમાન બન્યો છે. જેના લીધે ગુજરાતની પ્રજાને આજે તેની સમસ્યાના સમાધાન માટે માત્ર રઝળપાટ કરવાની નોબત આવે છે. રાજ્યમાં કરોડો રૂપિયાના ખર્ચથી સરકારની કામગીરી માટે તંત્ર કાર્યરત છે. પરંતુ તેના કેન્દ્ર લોકો નથી. જેના લીધે લોકોની સમસ્યા આજે પણ તેમની તેમ છે અને લોકોની સમસ્યામાં વધારો થયો છે.
ગુજરાતના આ બધી લોક સમસ્યાને વાચા આપવા માટે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા લોક સમસ્યાને સરકાર સુધી પહોંચાડવા માટે અને સરકારને લોકો પ્રત્યે જવાબદાર બનાવવા માટે " લોક સરકાર" ની શરુઆત કરવામાં આવશે. લોક સરકાર WWW.LOKSARKAR.IN વેબસાઈટના માધ્યમથી દ્વારા શરુ કરવામાં આવશે.
"લોક સરકાર "એટલે લોકો વતી , લોકો માટે ચાલતી લોકશાહી સરકાર. લોક સરકારનો ઉદ્દેશ લોક સમસ્યાને સરકાર સુધી પહોંચાડવા, લોક વેદનાને વાચા આપવા, સરકારને લોકો પ્રત્યે જવાબદાર બનાવવા, સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવા, સરકારી યોજના લોકો સુધીથી સરળતાથી પહોંચાડવાનો છે. આ સરકારમાં લોકશાહીનો મૂળ આધાર લોકોની જ સદંતર અવગણના કરવામાં આવી રહી છે. . લોક સરકારનો ઉદ્દેશ લોકશાહી પ્રણાલીને વધુ મજબુત બનાવી લોકોને સશકત કરવાનો અને સરકારને જવાબદાર બનાવવાનો છે.
"લોક સરકાર" નો ઉદ્દેશ એક વહીવટી સ્વરૂપમાં જનસેવાનો છે . જેમાં છેવાડાના માનવી સુધી જરૂરી તમામ સુવિધા પહોંચે તે છે."લોક સરકાર"નો મુખ્ય ઉદ્દેશ અને તેના અસ્તિત્વનનો આધાર જ જન સેવા છે.
આ ઉપરાંત હાલમાં સરકારી માળખામાં લોકોને ખબર જ નથી તેમણે કોને ફરિયાદ કરવી, ક્યાં ફરિયાદ કરવી અને કેવી રીતે ફરિયાદ કરવી અને ફરિયાદ કર્યા બાદ તેનો પુરાવો લેવો અને ફરિયાદ નિકાલની સમય મર્યાદા કેટલી છે અને જો ફરિયાદનો નિકાલ ના થાય તો શું કરવું જેવા મુદ્દાઓ પર પણ લોક સરકાર લોકોને મદદરૂપ બનશે. તેમજ ફરિયાદ કરનાર વ્યકિતને તેના આધાર સ્વરૂપે પાવતી આપવામાં આવશે. લોક સરકાર આ તમામ સેવાઓ આપના દ્વારે WWW.LOKSARKAR.IN ના માધ્યમથી પહોંચાડશે.
  1. ફરિયાદ

    લોક સરકારમાં તમામ વિભાગની લોકો ની ફરિયાદ/રજૂઆત સ્વીકારવામાં આવશે, લોકોની કેન્દ્ર કક્ષા, રાજ્ય કક્ષા, જીલ્લા કક્ષા, તાલુકા કક્ષાની ફરિયાદ/ રજૂઆત આ વિભાગ માં કરી શકશે. આ વિભાગમાં ફોર્મ ભર્યા પછી લોકોને પોતાની ફરિયાદ/રજૂઆત નંબર મળશે અને તે નંબર પરથી ભવિષ્યમાં ફરિયાદ/રજૂઆતને આપ ટ્રેકિંગ પણ કરી શકશો. લોકોએ કરેલી ફરિયાદ/રજૂઆત તેમણે ફોર્મ માં જે મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈ.ડી નાખ્યું હશે તેની પર SMS અને EMAIL દ્વારા તેમનો ફરિયાદ નંબર મળશે. આ ઉપરાત આ ફરિયાદ જે તે જવાબદાર અધિકારીને મોકલવામાં આવશે તેની કોપી પણ આપને મળશે.

  2. રજીસ્ટ્રેશન

    લોક સરકારનો ઉદ્દેશ લોક સમસ્યાને યોગ્ય રીતે વાચા આપીને તેનો ઉકેલ લાવવાનો છે. તેથી આમાં વધુમાં વધુ લોકો જોડાય અને તેમની સમસ્યાનો ઉકેલ લાવવાનો લોક સરકારનો ઉદ્દેશ છે. તેથી લોક સરકારમાં વધુમાં વધુ લોકો રજીસ્ટ્રેશન કરે તે માટે અલગ અલગ કેટેગરી પણ રાખવામાં આવી છે.


    પ્રચાર સમિતિ રજીસ્ટ્રેશન

    લોક સરકારની પ્રચાર સમિતિમાં કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાયેલા લોકો રજીસ્ટ્રેશન કરાવી શકશે. જેના આધારે તેમને લોક સરકારની પ્રવુતિના પ્રચાર- પ્રસારની .માહિતી આપવામાં આવશે. જેથી તે જે તે વિસ્તારમાં પ્રચાર- પ્રસારની માહિતી અસરકારક રીતે લોકો સુધી પહોંચાડી શકશે.

    લોકસેવક રજીસ્ટ્રેશન

    લોક સરકારની સ્વયં સેવક રજીસ્ટ્રેશનમાં કોઈપણ વ્યક્તિ સ્વેચ્છાએ તેમાં સહયોગ આપી શકશે, તેમજ લોકોની સમસ્યાને વાચા આપવા માટે મદદરૂપ થઈ શકશે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાયેલા લોકો તે વિસ્તારના પ્રતિનિધિ બનીને પણ તેમાં જોડાઈ શકશે તેમજ તેમણે આપેલી સમસ્યાઓને યોગ્ય કક્ષાએ પહોંચાડીને તેના નિરાકરણના તમામ પ્રયાસો કરવામાં આવશે

    રીસર્ચ ટીમ રજીસ્ટ્રેશન

    લોક સરકારમાં લોક પ્રશ્નોના રીસર્ચ સાથે જોડાયેલા લોકો પણ આવકાર્ય છે. તેમણે કરેલા રીસર્ચને અમારી સુધી પહોંચાડીને પણ ભાગીદારી નોંધાવી શકે છે. આ ઉપરાંત તમારી પાસે રહેલી કોઈપણ લોક ઉપયોગી માહિતી જેના માધ્યમથી લોક પ્રશ્નો ઉકેલી શકાય તે પણ આવકાર્ય છે.

    મીડિયા રજીસ્ટ્રેશન

    લોક સરકાર થઈ રહેલી કાર્યની માહિતી માટે મીડિયા રજીસ્ટ્રેશન પણ આવકાર્ય છે. જેમાં રજીસ્ટ્રેશન દ્વારા લોક સરકારમાં થઈ રહેલી તમામ માહિતી મીડિયા સુધી પહોંચાડવામાં આવશે. તેમજ લોક સરકાર સબંધી કોઈ પણ પ્રશ્નોનો જવાબ પણ આપવામાં આવશે. મીડિયા માટે પણ રાષ્ટ્રીય, રાજ્ય ,જીલ્લા અને ઝોનલ કક્ષાનું અલગ અલગ પ્રકારનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. જેના માધ્યમથી લોક સરકારની માહિતી તેમના સુધી પહોંચી શકે. આ સંવાદ દ્રિપક્ષીય હશે જેમાં મીડિયા સવાલ પણ પૂછી શકશે અને તેનો જવાબ પણ આપવામાં આવશે.

    NGO રજીસ્ટ્રેશન

    NGO નો ઉદ્દેશ પણ લોકસેવાનો છે તેમજ લોક સરકારનો ઉદ્દેશ પણ લોકસેવાનો જ છે. તેવા સમયે NGO લોક સરકારમાં ભાગીદાર બની શકે છે. જેમાં લોકપ્રશ્નો સાથે કામ કરી રહેલી NGO પણ રજીસ્ટ્રેશન કરી શકે છે. તેમજ એકબીજાના પુરક પણ બની શકે છે.

    NRG રજીસ્ટ્રેશન
    RTI રજીસ્ટ્રેશન

    લોક સરકારમાં જોડાવવા માટે તમામ પ્રકારના લોકો આવકાર્ય છે. જેમાં હાલમાં પણ લોકોના પ્રશ્નોને ઉજાગર કરતા RTI કાર્યકતાઓ આવકાર્ય છે. તે પણ લોક સરકારના માધ્યમથી તેમને મળેલી માહિતી લોકો સુધી પહોંચાડીને લોક સમસ્યા હલ કરવામાં મદદરૂપ બની શકો છો.

    સામાજીક- ધાર્મિક સંસ્થા રજીસ્ટ્રેશન
    વ્યવસાયિક સંસ્થા રજીસ્ટ્રેશન

    લોક સરકારમાં વ્યવસાયિક કૌશલ્ય ધરાવતા લોકો પણ તેમનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. જેવા કે કડિયા,મિસ્ત્રી, પ્લમબર, દરજી, સહિતના અનેક વ્યવસાયિક કૌશલ્ય ધરાવતા લોકો રજીસ્ટ્રેશન કરાવી શકશે. જેના થકી લોકોને તેમની માહિતી મળશે અને આ કૌશલ્ય ધરાવતા લોકોને રોજગારી પણ પ્રાપ્ત થશે.

    શૈક્ષણીક સંસ્થા રજીસ્ટ્રેશન
    વકિલ રજીસ્ટ્રેશન
    ઓધૌગિક સંસ્થા રજીસ્ટ્રેશન
    ઉદ્યોગપતિ રજીસ્ટ્રેશન
    ડોક્ટર્સ રજીસ્ટ્રેશન
    બિલ્ડરર્સ રજીસ્ટ્રેશન
    ખેડૂત રજીસ્ટ્રેશન
  3. અગત્યની માહિતી

    લોક સરકારના આ વિભાગમાં લોકોને સમય સમય પર ઉપયોગી એવી સરકારી અને જીવન ઉપયોગી વિભાગોની તમામ માહિતી પણ એક જ સ્થળેથી પ્રાપ્ત થઈ શકશે.

  4. સુવિધા

    લોક સરકારમાં આ ઉપરાંત નાગરિકો માટે ઉપયોગી એવી તમામ સુવિધા જેવી કે, એસ.ટી, ટીકીટ બુકિંગ, રેલ્વે ટીકીટ બુકિંગ, એર લાઈન બુકિંગ, હોટલ બુકિંગ, ટેક્સી બુકિંગ, સિનેમા બુકિંગ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ જેવી તમામ રોજબરોજની જરૂરિયાતની ઉપયોગી તમામ માહિતી એક જ સ્થળેથી મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

  5. મીડિયા બુલેટીન

    લોક સરકાર માં થતી રોજબરોજની કામગીરી મળતી ફરિયાદો અને તેના નિકાલ કે અટકાવની માહિતી રજીસ્ટર કરવામાં આવેલા રાષ્ટ્રીય, રાજય ,જીલ્લા અને ઝોનલ મીડિયા સુધી પહોંચી શકે તે માટે મીડિયા બુલેટીન પણ બહાર પાડવામાં આવશે. આ સંવાદ દ્રિપક્ષીય હશે જેમાં મીડિયા સવાલ પણ પૂછી શકશે અને તેનો જવાબ પણ આપવામાં આવશે.

  6. જનતાનો સાદ

    લોક સરકારનો આધાર જનતા છે. તેથી જનતાનો સાદ સૌથી અગત્યનો છે. આ વિભાગમાં લોકો પોતાની સમસ્યા રજુ કરી શકશે. તેમજ પોતાની સમસ્યા આધારિત પોલ કરી લોકોનો અભિપ્રાય પણ જાણી શકાશે. આ ઉપરાંત લોકો સમસ્યાની પીટીશન પણ મૂકી શકશે.

  7. અભિપ્રાય

    લોક સરકારની સમગ્ર પ્રક્રિયા અંગે લોકો પોતાનો અભિપ્રાય પણ આવકાર્ય છે. જેમાં લોકો આ પદ્ધતિમાં સુધારા અને તેને લગતા જરૂરી સૂચનો પણ આપી શકે છે. જેના થકી જ લોક સરકારની કાર્ય પદ્ધતિમાં સુધારા વધારા કરવામાં આવશે.

લોક સરકારનો મુખ્ય ઉદ્દેશ લોક સમસ્યાને વાચા આપીને તેનું સમાધાન લાવવાનો છે. જેની માટે સરકારના વહીવટીતંત્ર સામે જ લોકોને તેમની ફરિયાદ અને સમસ્યા સરકાર સુધી પહોચાડવાનો એક વિકલ્પ આપવાનો છે. તેમજ જવાબદાર વિકલ્પના માધ્યમથી સરકારને પણ જવાબદાર બનાવવાનો છે.
જેના ભાગરૂપે લોક સરકારના આગામી તબક્કામાં લોક સરકાર મંત્રી મંડળની પણ રચના કરવામાં આવશે. લોક સરકાર મંત્રી મંડળમાં લોકો તરફથી આવેલી લોક સમસ્યાઓની સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે. જેમાં બાકી રહેલી લોક સમસ્યાના ઉકેલ માટે સરકાર પર દબાણ ઉભું કરવામાં આવશે. તેમજ લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે.
લોક સરકારના માધ્યમથી લોક સમસ્યાને વાચા આપીને તેના ઉકેલની દિશામાં પ્રયત્નો કરવામાં આવશે. જો કે આ પ્રયત્નો દ્વારા પણ સરકારની કામગીરીમાં અને લોક સમસ્યાના સમાધાનમાં કોઈ હકારાત્મક પ્રતિભાવ નહીં મળે અને રાજ્યની આંધળી અને બહેરી સરકાર પોતાની નિંદ્રામાંથી નહીં જાગે તો સરકાર વિરુદ્ધ જલદ આંદોલન પણ કરવામાં આવશે. લોક પ્રશ્નોને વાચા આપવા માટે લોક સરકાર રાજ્ય સરકાર સાથે બાથ ભીડશે અને ઝડપથી લોક પ્રશ્નોના ઉકેલ માટે કાર્યરત રહેશે.